લોકસભાનું સભ્યપદ લેવાનો મામલો: પેરોલ પર બહાર આવશે અમૃતપાલ સિંહ, જાણો ક્યારે લેશે શપથ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03072024_105435_22 (1).webp)
- 03 Jul, 2024
ખડૂર સાહિબ લોકસભા સીટ પરથી ચૂંટણી જીતીને સરબજીત સિંહ ખાલસાએ સોશિયલ મીડિયામાં માહિતી આપી છે કે તેઓ 5 જુલાઈએ લોકસભાના સભ્ય તરીકે શપથ લેશે. અમૃતપાલ સિંહને કેટલીક શરતો સાથે 5 જુલાઈથી 4 દિવસ કે તેનાથી ઓછા સમયની પેરોલ આપવામાં આવી છે. તે અંગે અધીક્ષક ડિબ્રૂગઢને સૂચિત કરવામાં આવ્યું છે.
આ પહેલા પંજાબ સરકારે આસમની ડિબ્રૂગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહનો લેખિત અનુરોધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોકલ્યો હતો. જેમાં અમૃતપાલે અસ્થાઈ મુક્તિ અથવા તો પછી પેરોલની માંગણી કરી હતી.
ડિબ્રૂગઢ જેલમાં બંધ અમૃતપાલ સિંહને અમૃતસર પોલીસ 5 જુલાઈએ દિલ્હી લઈને આવશે. અહીં તેઓ સાંસદની શપથ લેશે. લોકસભામાં સાંસદની શપથ લીધા પછી અમૃતપાલ સિંહને ફરીથી પરત ડિબ્રૂગઢ જેલમાં લઈ જવામાં આવશે. આ દરમિયાન અમૃતપાલ સિંહને કોઈને પણ મળવાની પરવાનગી હશે નહીં.
અમૃતપાલ સિંહના કાયદાકીય સલાહકાર ઈમાન સિંહ ખારાએ મંગળવારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવનાર કટ્ટરપંથી શીખ નેતાની અરજી એનએસએની ધારા 15 અંતર્ગત જેલ અધિક્ષકના માધ્યમથી 9 જૂને પંજાબ સરકારને મોકલવામાં આવી હતી.
ડિબ્રૂગઢ જેલ અધીક્ષકે અમૃતપાલ સિંહનો પત્ર ડેપ્યુટી કમિશ્નરને મોકલ્યો હતો, જેમણે તેને રાજ્ય સરકારના મુખ્યાલયને મોકલ્યો હતો. જેમાં લોકસભા સ્પીકરને અમૃપાલને શપથ લેવાની પરવાનગી આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.